Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

જેતપુર : ભાજપ દ્વારા દાંડી યાત્રીકોનો સન્માન સમારોહ યોજાયો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૧૫: સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ રાજકોટ જિલ્લા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંડી યાત્રીનો સન્માન સમારંભ યોજાયો હતો.

આઝાદીના ૭૫ માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવાતા ઇતિહાસિક દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવેલ જે યાત્રાને સાબરમતી આશ્રમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસ્થાન કરાવેલ તેમાં ૮૧ યાત્રિકો તા.૬/૪/૨૦૨૧ના રોજ દાંડી મુકામ સુંધી ચાલીને પહોંચી યાત્રા પૂર્ણ કરેલ જે યાત્રામાં સહભાગી થનાર પરીનભાઇ કયાડા આજે સવારે જેતપુર આવતા દાંડી યાત્રી પરિનભાઇનો સન્માન સમારંભ બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપ ખાતે યુવા બોર્ડ ઝોનલ પ્રભારી અપૂર્વભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ જેમાં. લલિતભાઈ રાદડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જશુમતી બેન કોરાટ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ જિલ્લા વાલી કિશોરભાઈ શાહ, જિલ્લા સંયોજક નીતિનભાઈ ભેંસજાળીયા, રમેશભાઈ જોગી, દીપકભાઈ ત્રિવેદી, રાજેશભાઈ ઉસદલિયા, મહેશભાઈ ડોબરીયા, હિતેશભાઇ રાવલ, યોગેશભાઈ નાયડુ, અંકુરભાઈ વ્યાસ, ઉપસ્થિતિ રહ્યા હતા,

કાર્યક્રમ ને સફળ બનાવવા નગર સંયોજક વિજયભાઈ ચૌહાણ, તાલુકા સંયોજક રસિકભાઈ બાટવિયા, કેતન ઓઝા સહિત ના એ જહેમત ઉઠાવી હતી.

(12:55 pm IST)