Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કોરોના મહામારીમાં દ્વારકાના સ્મશાનગૃહમાં પરિમલભાઇ નથવાણી સહિતના દાતાઓ દ્વારા લાકડાનું દાન

છેલ્લા એક મહિનામાં પાલિકાના રેકોર્ડ મુજબ ૪૩૪ કોરોનાગ્રસ્તોની અંતિમવિધી

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૧પ : દ્વારકાના સ્મશાનગૃહમાં ૧૫ દિવસ પહેલા સાંસદ પરિમલભાઇ નથવાણીએ કોરોનામાં મૃતક થયેલાના અગ્નિ સંસ્કાર માટે લાકડાની સહાય કરી દાન કરેલ છે. આ ઉપરાંત અન્ય દાતાઓએ પણ લાકડાનું દાન કર્યુ.

દ્વારકાના ગામમાં તટે આવેલા સ્મશાનગૃહનું નિર્માણ રિલાયન્સ કંપની દ્વારા કરાયુ છે. મહાકાલ મુકિત ધામ ટ્રસ્ટમાં છેલ્લા ૪૦ દિવસમાં ૪૩૪ મૃતકોના અગ્નિ સંસ્કાર થયા છે. મુખ્ય ટ્રસ્ટી કનુભાઇ હિન્ડોચા ઓખાના મોહનભાઇ બારાઇ ખંભાળીયાના આરાધના ધામ તથા મીઠાપુરની લાલ મુકુંદ ગૌશાળા સહિતની સંસ્થાઓ તથા વ્યકિતઓ મહાકાલ મુકિત ધામ ટ્રસ્ટને કોરોના કાળમાં ઉપયોગી બન્યા છે.

(10:29 am IST)