Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

દેવભુમી દ્વારકા જીલ્લામાં મ્યુકરમાઇકોસીસ રોગની એન્ટ્રીઃ ખંભાળીયા-કલ્યાણપુર તાલુકાના ૩ દર્દીઓ સારવારમાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા., ૧૫: દેવભુમી દ્વારકા જીલ્લામાં મ્યુકરમાઇકોસીસની એન્ટ્રી થતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

ખંભાળીયા તથા કલ્યાણપુર તાલુકાના ત્રણેક દર્દીઓ હાલ જામનગર અને રાજકોટની હોસ્પીટલોમાં સારવાર લઇ રહયા છે.

જો કે અત્યંત ખર્ચાળ અને લાંબી સારવાર તથા ઓપરેશન ફરજીયાત તથા જે અવયવને  આ ચેપ લાગે તે કાઢી નાખવુ પડે તેવી ગંભીર સ્થિતિ વાળા આ રોગ માટે દ્વારકા જીલ્લામાં કયાંય સુવિધા જ નથી તથા સરકારી હોસ્પીટલમાં પણ વોર્ડ નથી તો એમઆરઆઇ કરાવવાનુ ફરજીયાત છે પણ દ્વારકા જીલ્લામાં કયાંય એમઆરઆઇનું મશીન પણ ના હોય આ નવો રોગ દ્વારકા જીલ્લા માટે ચિંતાજનક બને તો નવાઇ નહી !!

(1:01 pm IST)