Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ધોરાજીમાં કોમી એકતાના પ્રતીક સમાન હજરત લાલશાહબાવાનો ચાર દિવસીય ઉર્ષ શરીફનો આજથી પ્રારંભ

ઉર્ષ શરીફના ચાર દિવસ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળાનું આયોજન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી:-ધોરાજી માં કોમી એકતા ના પ્રતીક સમાન
ધોરાજી માં હજરત લાલશાહબાવા નો ચાર દિવસીય  ઉર્ષ શરીફ નો આજ થી  પ્રારંભ
છેલ્લા બે વર્ષ થી કોરોના ને કારણે અનેક ધાર્મિક ઉત્સવો અને મેળાઓ બંધ હતા બદ માં કોરોના ના કેશ હળવા થતા હાલ ધાર્મિક કાર્યક્રમો ફરી શરૂ થયા છે ત્યારે ગરીબોના બેલી દુઃખી દિલોના સહારા અને સૌરાષ્ટ્ર ની અંદર માં કોમી એકતાનું પ્રતિક ગણાતા ભરત લાલ શા બાવા ના ઉર્ષ શરીફનો આજ તા 15 મે થી પ્રારંભ થયો હતો આજ રોજ બપોરે 3:00 કલાકે દરગાહ શરીફના  ખાદીમોની ગુલ પોષી થએક બદ માં દુઆ એ ખેર અને ત્યાર બાદ વિશાળ સંદલ શરીફ નીકળલ જેમાં જંબુર ના સીદી બાદશાહ નું આદિવાસી  નૃત્ય આકર્ષણ નું કેન્દ્ર બનેલ હતું
 સંદલ શરીફ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અને ફરી દરગાહ શરીફ ખાતે સમાપન થયેલ ઉર્ષ શરીફ ના ચાર દિવસ સુધી દરગાહ શરીફ ના ખાદીમ દ્વારા દરગાહ શરીફ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને કવાલી નું આયોજન પણ કરવામાં આવેલ છે
ઉર્ષ  દરમિયાન દર્શના થી આવતા દર્શનાર્થીઓ માટે ફકીર  લંગરન્યાજ  કમિટી દ્વારા ભવ્ય વેજી ટેરીયન
 નીયાજ શરીફનું આયોજન કરવામાં આવેલ છે જે માટે ફકીર લંગર કમિટી ના હનીફ ભાઈ મજોઠી લાલુભાઈ સિંધી ( અનાજ વારા ) અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે
 ઉર્ષ શરીફના ચાર દિવસ નાલબંધ ગ્રુપ દ્વારા મનોરંજન લોક મેળાનું આયોજન
હજરત   લાલશાહ વલીના ઉર્ષ શરીફ ની ધાર્મિક ઉજવણીની સાથે સાથે લોકોના મનોરંજન માટે ઉર્ષ શરીફના ચાર દિવસ સુધી દરગાહ શરીફની બાજુમાં આવેલ જન્માષ્ટમી લોક મેળા  ગ્રાઉન્ડમાં યાસીનભાઈ નાલબંધ મકબૂલભાઈ ગરાણા ગ્રુપ દ્વારા ભવ્ય થી ભવ્ય મનોરંજન લોક મેળા નું આયોજન કરવામાં આવેલ છે જેમાં વિવિધ પ્રકાર ની રાઇડ્સ અને બાળકો માટે મનોરંજન ના ખેલ ને ચિલ્ડ્રન રાઇડશ થી લોકો મનોરંજન લોક મેળા નું આનંદ માણશે

(5:26 pm IST)