Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ગારીયાધારના વાવડીમાં ર સગાભાઇ સહિત ૪ ના ડૂબી જવાથી મોત

ચારેય તરૂણો એક જ શાળામાં અભ્‍યાસ કરતા હતાઃ તળાવમાં ન્‍હાવા ગયાને દુર્ઘટના સર્જાઇ

ભાવનગર : ભાવનગરના ગારીયાધાર પંથકમાં ચાર બાળકો તળાવમાં ડુબી જતા ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. (તસ્‍વીરઃમેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧પ : ભાવનગર પંથકમાં સર્જાયેલી કરૂણાંતાકામાં બે સગાભાઇ સહિત ૪ બાળકોનાં તળાવમાં ડુબી જતા કરૂણ મોત નિપજયા છ.ે ચારેય બાળકોની અંતિમ યાત્રા દરમ્‍યાન ગામ હિબકે ચડયું હતું અને ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી.

આ કરૂણ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના મોટી વાવડી ગામે રહેતા જયેશભાઇ કાકડીયા, મોન્‍ટુ હિમંતભાઇ ભેંડી, તરૂણશંભુભાઇ ખોખર, અને મિત શંભુભાઇ ખોખર ગામના તળાવમાં ન્‍હાવા પડયા હતા અને ચારેય બાળકો તળાવના પાણીમાં ડુબી ગયા હતા.

બનાવની જાણ થતા ગ્રામ્‍યજનો તળાવે દોડી ગયા હતા અને તળાવમાંથી એક પછી ચારેય બાળકોના મૃતદેહ નીકળતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી મૃતક ચારેય બાળકો એકજ શાળામાં અભ્‍યાસ કરતા હતા અને બે તો સગાભાઇઓ છ.ેબનાવથી ગામમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ચારેયની અંતિમ યાત્રા નીકળી ત્‍યારે હૃદયદ્રાવક દ્રશ્‍યો સર્જાયા હતા.

(10:30 am IST)