Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જેતપુરની પુરૂષોતમધામ હવેલી ખાતે આમોત્સવ ઉજવાયો

જેતપુર : શહેરના સુદામાનગર વિસ્તારમાં આવેલ શ્રી પુરૂષોતમધામ હવેલી લોકડાઉનના કારણે વૈશ્ણવો માટે બંધ હોય ગઇકાલથી સરકારની ગાઇડલાઇન મુજબ દર્શન માટે દ્વાર ખુલ્લા મુકવામાં આવેલ. આ પ્રસંગે વૈશ્ણવાચાર્ય પ.પૂ. શ્રી કૃષ્ણકુમારજી મહોદય, શ્રી આશ્રયકુમારજી મહોદરના સાનિધ્યમાં આમોત્સવનું આયોજન મર્યાદીત વૈશ્ણો માટે સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સથી ઉજવવામાં આવેલ. આ પ્રસંગે આપશ્રીના વચનામૃત બાદ દર્શનનો લ્હાવો વૈશ્ણવોએ લીધેલ. ઘણા સમય બાદ દર્શન માટે હવેલીના દ્વાર ખુલ્યા હોય વૈશ્ણવોમાં ભારે આનંદની લાગણી વ્યાપી હતી. (તસ્વર - અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(12:02 pm IST)