Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ઉપલેટામાં માનસીક દિવ્યાંગની હત્યા કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧પઃ ઉપલેટા મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં કોઇ લાશ પડી હોવાનું સમાચાર ઉપલેટા પોલીસને મળતા પી.આઇ. કે. કે. જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લાશનું નિરિશક્ષણ કરતા મૃત્યુ કઇ રીતે થયું તે અંગે તપાસ કરવા લાશને પોસ્ટ મોર્ટમ માટે ઉપલેટા કોટેજ હોસ્પીટલ ખાતે મોકલી આપેલ હતી.

આ બનાવની જાણ ડી.વાઇ.એસ.પી. સાગર બાગમારને થતા તેઓ પણ ઘટના સ્થળે ગયા હતા. અને તપાસ અંગે માર્ગદર્શન આપેલ હતું. ત્યારબાદ તપાસ કરતા આ લાશ ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક સામે દલિત વાસમાં રહેતા અસ્થિર મગજના દલિત બટુકભાઇ મેપાભાઇ વીંજુડા ઉ.વ. ૭પ વાળા કે જેઓએ પોતાનું પુરૃં જીવન મગજ અસ્થિર હોવાને કારણે રોડ પર પસાર કરેલ હોય અને રોડ રસ્તા પર ગઇકાલે કોઇ અજાણ્યો વ્યકિત મળી જતા તેમને પ્રથમ ઉપલેટા સ્મશાન ઘાટ પાસે લઇ ગયા અને બાદમાં સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવી દારૂના નશામાં માનસીક દિવ્યાંગ બટુકભાઇ સાથે વાતચીત દરમ્યાન ગાળી ગલોચ થતા સામેની અજાણી વ્યકિતએ બટુકભાઇને મુંઢ માર મારી હત્યા નીપજાવી હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે બોથડ પદાર્થના ઘા ઝીંકયા હોવાનું બહાર આવેલ છે. આ અંગે ઉપલેટા પોલીસે આજે વિધીવત ફરીયાદ દાખલ કરી તપાસ આગળ વધારતા કલમ ૩૦ર હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ છે. બાદમાં મરનાર બટુકભાઇની ડેડબોડી તેમના પરીવારજનોને સોંપી અંતિમ ક્રિયા કરવામાં આવેલ હતી.

(12:10 pm IST)