Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભાડલા હવેલીમાં આમ મનોરથ

જસદણ તાલુકાના ભાડલા ગામે આવેલ બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વૈષ્ણવ સમાજ રાજકોટ દ્વારા આમ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી બાલકૃષ્ણલાલજીને ખાસ બંગલામાં બીરાજમાન કરી આમરસ, ચીરીયા, આમના ફળો ધરાવવામાં આવેલ. કોરોનાના હિસાબે સિમિત સંખ્યામાં ઉજવાયેલ આ ઉત્સવના દરેક વૈષ્ણવોને વિડીયો કોલીંગથી દર્શન કરાવાયા હતા. આમ કાર્ટુન પધરાવવાની સેવાનો લાભ શ્રીમતી કોકીલાબેન ધીરજલાલ મુછાળા, શ્રીમતી ગીતાબેન અશ્વિનભાઇ પટેલ, જયશ્રીબેન રમેશભાઇ પટેલ, શ્રીમતી કલ્પનાબેન અનુપમભાઇ દોશી, શ્રીમતી કાશ્મીરાબેન મુકેશભાઇ દોશી, રેખાબેન મધુકરભાઇ દોશી, હર્ષિદાબેન વિનોદભાઇ પટેલ, શ્રીમતી ભારતીબેન જયંતિભાઇ કલ્યાણી, શશીભાઇ ગાંગડીયાએ લીધો હતો. સજાવટમાં મુખ્યાણી શ્રીમતી જસોદાબેન  અને મુખ્યાજી ઓમપ્રકાશભાઇ એ સેવા આપેલ. મહીલા મંડળ અને ભાઇઓના મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવેલ. તેમ પ્રમુખ અશ્વિનભાઇ પટેલની યાદીમાં જણાવાયુ છે.

(12:12 pm IST)