Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેરનાં રેલ્વે સામે ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા. ૧૫ : અમરેલી જીલ્લાના રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર છેલ્લા સાતેક દિવસથી રેલ્વે દ્વારા રાજુલા નગરપાલિકાને ફાળવવામાં આવેલ જમીન રાજકીય કારણોસર રદ કરવાના નિર્ણય સામે રાજુલા ખાતે ઉપવાસ ઉપર બેસેલ છે.

રાજુલાના ધારાસભ્યનું આ પ્રજાલક્ષી ઉપવાસ આંદોલન છેલ્લા પાંચ દિવસથી રાજુલા શહેરમાં ચાલી રહ્યું હતું. તે બર્બટાણા રેલ્વે સ્ટેશન ખાતે આજથી ઉપવાસ આંદોલન શરૂ કરેલ હોય તા. ૧૩-૬-૨૦૨૧ને રવિવારના રોજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડી.કે.રૈયાણી, પૂર્વ પ્રમુખશ્રી પંકજભાઇ કાનાબાર, મહામંત્રીશ્રી જનકભાઇ પંડ્યા, અને જગદીશભાઇ તળાવીયાએ મુલાકાત લીધેલ હતી. આ તકે અંબરીશભાઇ ડેરના ઉપવાસ આંદોલનને સમગ્ર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ટેકો આપવામાં આવેલ છે.

વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઇ રીબડીયા, જૂનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઇ પોંકીયા, જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ઠુંમર સહિતના અગ્રણીઓ પણ ઉપવાસ છાવણીમાં પધારેલ હતા અને અંબરીશભાઇ ડેર દ્વારા ચાલતા ઉપવાસ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ હતો.

(1:09 pm IST)