Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પુણ્યતિથી નિમિતે રક્તદાન સહિતના અનેકવિધ સેવાકાર્યો.

મોરબી શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ દ્વારા 17 જૂને સ્વ.ધવલભાઈ રાંકજાની પુણ્યતિથિ નિમિતે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીમાં સ્વ.ધવલભાઈ રાંકજાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે રાંકજા પરિવાર, લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ, ઇડન ગાર્ડન અને HDFC બેન્ક મોરબીના સહયોગયથી સવારે 8 થી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઈડીસી મોરબી ખાતે રક્તદાન શિબિરનું યોજાશે.
તે ઉપરાંત શનાળા ખાતે સવારે 08.30 કલાકે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવશે, સવારે 09.00 કલાકે શનાળા ગામની શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. સવારે 09.30 કલાકે રામ ઘાટ ખાતે બેન્ચની સ્થાપના કરવામાં આવશે. તેમજ 10.00 કલાકે સમર્પણ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થશે. સવારે 10.30 કલાકે શોભેશ્વર મંદિર ખાતે પણ બેન્ચની સ્થાપના કરવામાં આવશે. સવારે 11.15 કલાકે વૃદ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને ભોજન કરાવવામાં આવશે. 12.00 વાગ્યે યદુનંદન ગૌશાળામાં ગાય માતાને ભોજન કરાવવામાં આવશે. અને બપોરે 03.00 કલાકે વાંકાનેર રેલવે સ્ટેશન પર અંતિમ કાર્યક્રમ યોજાશે.
આ અંગે વધુ માહિતી માટે મો.98982 88777 પર સંપર્ક કરવાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગની યાદીમાં જણાવામાં આવ્યા છે.

(9:49 am IST)