Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદરમાં ખીદમત-એ-ખલ્‍ફ ગ્રુપ દ્વારા સમૂહ શાદીઃ ૨૫ દુલ્‍હા-દુલ્‍હનો દ્વારા નવા જીવનની શરૂઆત

પોરબંદર, તા.૧૫: ખીદમત - એ - ખલ્‍ક ગળપ દ્વારા યોજાયેલી સમુહ શાદીમાં  ૨૫ દુલ્‍હા-દુલ્‍હનોએ કરી નવજીવનની શરૂઆત કરી હતી તેમને વનવિભાગના સહયોગથી રોપાનું પણ કરાયું વિતરણ કરાયુ હતું

વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્‍કુલ ખાતે દુલ્‍હાની નિકાહ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ અંગે જનજાગળતિ અનુસંધાને સમાજમાં જાગૃતતા ફેલાવવા નવતર પ્રયોગ કરવામાં આવ્‍યો હતો. દુલ્‍હા - દુલ્‍હન સહિત મહેમાનોને અને ઉપસ્‍થિતોને વનવિભાગના સહયોગથી રોપા વિતરણ કરી વળક્ષો વાવવા અંગે જાગળતિ ફેલાવવામાં આવી હતી. તેમજ વળક્ષા રોપણ પણ કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં સૈયદ જલાલબાપુ સાહબ (પોરબંદર) પેશ ઇમામ હલીમાં મસ્‍જિદ

હઝરત અલ્લામા - વ - મૌલાના મુફતી અશરફરઝા સાહબ બુરહાની ( રતનપુર ખેડા ) અને પીરે તરીકત હુઝુર ગુલઝારે મિલ્લત અલ્લામા ગુલઝાર અહમદ સાહબ નૂરી ( સજ્‍જાદાહ નશીન ખાનકાહે રઝવિય્‍યાહ નુરીચ્‍ચાહ, જુનાગઢ ), મોલાના હાજી યુસુફ સાહબ હશ્‍મતી   મોલાના મેઅરાજઅલી ( દાદાબાપુ ) ( માધવપુર ), હાફિઝ અબ્‍દુલગફાર સાહેબ,  બડી મસ્‍જિદ અમદાવાદ,  હાફિઝ કારી મોઅઝમ સાહેબ, તેમજ સાદાતે કીરામ અને ઓલમા - એ - કીરામ તેમજ સુન્ની મુસ્‍લીમ જમાતના આગેવાનો ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.

સાંસદ રમેશભાઈ ધડુકના પુત્ર નિમેશ રમેશભાઇ ધડુક,  સમસ્‍ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળ તથા પંચ પટેલશ્રીઓ, ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા, યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી, ડબલ્‍યુ એમ.ઓ, જુનાગઢના સીટી ચેરમેનશ્રી મહેબુબભાઈ વિધા,  કલેકટર ઓફીસના ટેકનીકલ ડાયરેકટર  ઈબ્રાહીમ બાદી, રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર પ્રોટેકશન રેન્‍જ પોરબંદરના અરૂણકુમાર બી. સરવૈયા, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલભાઈ કારીયા, અશ્વિનભાઈ મોતીવરસ, કિરીટભાઈ સવજાણી,  જાણીતા ઉદ્યોગપતિ કેતનભાઈ ગજ્જર, સિપાઈ જમાતના પ્રમુખ ફેઝલખાન પઠાણ, પૂર્વપ્રમુખ ફારૂકખાન શેરવાની, સંઘી મોટી તથા નાની જમાતના પ્રમુખ,  યુ. એન્‍ડ યુ. ના હાજી યાસીન  અયબાણી, મહેબૂબખાન બેલીમ, તેમજ પોરબંદરની  મુસ્‍લિમ જમાતના પ્રમુખો ખાસ ઉપસ્‍થિત રહી નવદમ્‍પતીઓને આશીર્વાદ અને શુભેચ્‍છાઓ પાઠવી હતી. જનાબ ઇકબાલ બાપુ તિરમીજી સાહેબ ખાસ દુઆઓ સાથે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન અલ્‍તાફ ડી. કુરેશી (જૂનાગઢ) અને મુહમ્‍મદજુનેદ કુરેશી (પોરબંદર) એ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ખીદમત એ ખલ્‍ક ગ્રુપ વતી  ફારૂકભાઈ સુર્યા અને પ્રોજેકટ ચેરમેન સરફરાઝભાઈ મુંડાના માર્ગદર્શન હેઠળ ઓસમાનભાઈ મતવા, રશીદભાઇ નોવહી, ઇસ્‍માઇલ મુલતાની, કાદરભાઈ શેઠા, યુસુફભાઈ જુનેજા, મહમદભાઈ પઠાણ, આસિફ ચાવડા, ઈર્શાદભાઈ સીદીકી વગેરે એ જહેમત ઉઠાવી હતી.

દુલહનો માટે આમીન કાર્યક્રમ વી.જે. મદરેસા ગર્લ્‍સ સ્‍કુલ ખાતે યોજાયો હતો જેમાં ૨૫ દુલહનો એ નિકાહ પડી હતી. સાહિનબેન સૂર્યા ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.

સમૂહ શાદીમાં પર્યાવરણ બચાવો થીમ ને આગેવાનોએ બિરદાવ્‍યો.

આ સમૂહ શાદીના કાર્યક્રમમાં પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત કંકોત્રી સહિત રોપા વિતરણ,  વળક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેને ઉપસ્‍થિત આગેવાનોએ આવકારી ફારૂકભાઈના પ્રયાસને બિરદાવ્‍યો હતો. આ કાર્યક્રમમાં વન વિભાગનો સહયોગ મળ્‍યો હતો, અને વનવિભાગના અરુણ કુમાર સરવૈયા એ પ્રાસંગીક ઉદબોધન કરી પર્યાવરણ બચાવવા અંગે વિગતવાર સમજ આપી સંસ્‍થાના આ આયોજનને બિરદાવ્‍યું હતું. શનિવારે મિલાદ-તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો.

(10:05 am IST)