Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આટકોટ કૈલાસ નગર વિસ્‍તારમાં જીઓ ટાવર રાત્રે બંધ

અવારનવાર આ સમસ્‍યાનો સામનો કરવો પડે છે

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૧૫: કૈલાસનગર વિસ્‍તારમાં  જીઓનો ટાવર આવેલ છે પણ ખાટલે મોટી ખોડ લાઈટો પર ચાલે છે લાઈટો ગુલ થતાં જ ટાવરો કામ કરતા બંધ થઈ જાય છે અહીના ગ્રાહકો એ જણાવ્‍યું હતું કે કાલે રાત્રે લાઈટો ગુલ થતાં જ ત્રણ કલાક લાઈટો ગુલ થઈ હતી ટાવરો કામ કરતા બંધ થઈ જાય છે જેમાં નેટ પણ બંધ થઈ જાય છે લોકોને ફોન પણ આવતા નથી લાગતાં નથી  નેટ પણ બંધ થઈ જાય છે લોકો હેરાન પરેશાન થયા હતાં. આ ટાવર માં બેટરી મુકવામાં આવે જનરેટર મૂકવામાં આવે તો ગ્રાહકોને સુવિધા ઉપલબ્‍ધ રહે નહીંતર ગ્રાહકો પોટબલ કરવાની તૈયારી કરી રહ્યા છે. આવી રીતે અવારનવાર ટાવર બંધ થઈ જાય તે કેમ ચાલે તેવું જાણકારો કહે છે. વહેલી તકે ઉકેલ લાવવા માટે માગણી કરી છે  લાઈટો ગુલ થાય પછી એક બે કલાક ટાવર કામ કરે છે પછી ફોન આવે તો વાત થતી નથી તેમજ નેટ પણ આવતું નથી.  જનરેટર મૂકવામાં આવે અથવા બેટરી મુકવામાં આવે તો સમસ્‍યાનો ઉકેલ આવે હજારો જીઓના કસ્‍ટબર  ગઈકાલે હેરાન પરેશાન થયા હતા

(10:50 am IST)