Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાવનગરમાં કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાઓનું ચુસ્‍તપણે પાલન કરવા અનુરોધ

(વિપુલ હિરા દ્વારા) ભાવનગર તા.૧૪ : હાલમાં દેશ તથા રાજ્‍ય ખાતે કોરોનાનાં દર્દીઓની સંખ્‍યામાં સતત વધારો જોવા મળી રહેલ છે. આથી જાહેર જનતા તથા તમામ સંબંધિતોને સરકાર દ્વારા પ્રકાશિત કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાઓનું ચુસ્‍તપણે પાલન કરવાનો અનુરોધ કરવામાં આવેલ છે. સર તખ્‍તસિંહજી હેસ્‍પિટલ, ભાવનગર દ્વાસ જાહેર જનતાને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સ, માસ્‍ક સેનીટાઇઝરનો ઉપયોગ કરવા અંગેની ખાસ અપીલ કરવામાં આવેલ છે.
  ડાયાબીટીસ, કેન્‍સર, બ્‍લડ પ્રેશરની બિમારી ધરાવતા લોકો, સિનિયર સીટીઝન, નાના બાળકો, સગર્ભા બહેનોએ વિશેષ કાળજી રાખવાની રહેશે તથા જે લોકો દ્વારા કોવીડ વેકસીન લીધેલ ન હોય તે તમામને વેકસીનનાં ડોઝ લઇ લેવા અધિક્ષકશ્રી, સર ટી. હોસ્‍પિટલની યાદીમાં જણાવાયું છે.

 

(11:28 am IST)