Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઘોઘાના હઝરત ઇબ્રાહીમશા પીરના ઉર્ષની ઉજવણી

(મેઘના વિપુલ હીરાણી દ્વારા)ભાવનગરઃ તા. ૧૫ : ઘોઘાના મુખ્‍ય કબ્રસ્‍તાન અંદર આવેલા હઝરત પીર સૈય્‍યદ ઇબ્રાહીમશા બગદાદી પીરનો બે દિવસીય ઉર્ષ શરીફ ઉજવાયો હતો.

જે અંતર્ગત રાત્રે ઇશાની નમાઝ બાદ દરગાહ પર મીલાદ શરીફ કાર્યક્રમ તથા અસરની નમાઝ બાદ સંદલ શરીફનું ઝુલુસ, સંદલ શરીફ, ન્‍યાઝ શરીફ, સલાતો સલામ, સામુહિક દુવા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સફ બવાવવા ઉર્ષ કમીટીના આગેવાનો તથા દરગાહ શરીફના ખાદીને જહેમત ઉઠાવી હતી.

(11:47 am IST)