Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ખંભાળીયાના એક વખતના ભાજપ અગ્રણીના કહેવાતા દ્વારકા આપઘાતના કાર્યક્રમે પોલીસને દોડાવી !!!

રાજકોટ, તા., ૧૫: ખંભાળીયાના એક વખતના ભાજપના અગ્રણી તથા પ્રજાના પ્રશ્ને દોડતા કાર્યકર નટુભાઇએ તાજેતરમાં ખંભાળીયા પાલીકાના રોજમદારોના પ્રશ્ને આત્‍મ વિલોપનના પ્રયાસો કરાવ્‍યાની ચર્ચા છે. દરમિયાન જિલ્લા કલેકટર શ્રી  મીટીંગમાં હોવાથી સમય ઓછો  આપતા તેમની વિરૂધ્‍ધ પત્રિકા બહાર પાડી હતી તેવી ચર્ચા છે? તે પછી દ્વારકામાં આર્યજનક કાર્યક્રમ કરવાની જાહેરાત કરેલી તેને બદલે  આજે કાર્યક્રમ કરવાના હોય અને તેઓ પહોંચી જતા પોલીસ ફરી દોડી હતી.

દરમ્‍યાન ગઇકાલે વધુ એક પત્રિકા બહાર પાડીને પરીમલભાઇ  ‘દોસ્‍ત દોસ્‍તના રહા' ના ફોટા સાથે પોતે દ્વારકા આપઘાત કરવા જશે તેવુ બહાર પાડતા એક વખતના ખુબ જ નજીકના મિત્ર નટુભાઇના પરીમલભાઇ વિષેના આવા લખાણથી રઘુવંશી સમાજમાં ભારે ચર્ચા-આંચકો સર્જાયેલ છે.

આ ઉપરાંત એવી ચર્ચા છે કે રોજમદારોને અનાજની કીટ અપાયેલ ત્‍યાર બાદ થયેલા આંદોલનમાં પણ એક પણ મહિલા રોજમદારો તેમની સાથે દ્વારકા ગયા નથી તથા કેટલાક મહીલા કામદારોએ તો જાહેરમાં અમને તેઓએ ગોટે ચડાવી દીધા હતા જેવી વાત પણ ચર્ચામાં છે. કહેવાતા આ નટુભાઇના વિચિત્ર વલણે ભારે ચર્ચા જગાવી છે. 

(12:56 pm IST)