Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

આમ આદમી પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયા ૯૭ વિધાનસભાના

સંગઠનની જવાબદારી સંગઠનના માહિર અને બાહોશ યુવાનોને સોંપાઇ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પ : તાજેતરમાં જ  પ્રદેશ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સંગઠનની નવરચના જાહેર કરવામાં આવેલ તેને અનુસંધાને ગુજરાતભરમાં રસપ્રદ અમરેલી જિલ્લાના તેમજ ગુજરાતના રાજકારણમાં કેન્‍દ્ર બિંદુ તરીકે ઓળખાતી સાવરકુંડલા લીલીયા ૯૭ વિધાનસભાના સંગઠનને મજબૂત  કરવા માટે તેમજ ભાજપ અને કોંગ્રેસના ટક્કર આપવા માટે આ વિસ્‍તારના બાહોશ અને સંગઠનના માહિર કહી શકાય તેવા ત્રણ યુવાનોને આ જવાબદારી સોંપવામાં આવી છે તેમાં મુસ્‍લિમ સમાજમાંથી આવતા અને મુસ્‍લિમ સમાજના તેમજ અન્‍ય પછાત સમાજમાં પોતાની કામગીરી એ લોકોના પ્રશ્નો માટે લડત ચલાવી ને પોતાની એક મજબૂત અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવતા અને ચિનગારીના ઉપનામથી સમગ્ર વિધાનસભામાં પ્રખ્‍યાત એવા મુસ્‍લિમ સમાજના પૂર્વ પ્રમુખ અને શહેર આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે સફળ કામગીરી કરનાર આરટીઆઇ એક્‍ટિવિસ્‍ટ અને માનવ અધિકાર કાર્યકર્તા આશરફ કુરેશી ને સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે

 તેવી જ રીતે વંડા પંથકના ખૂબ જ જોશીલા અને સદાય સેવા માટે તત્‍પર તેમજ લેવા પટેલ સમાજ માં ખુબજ મજબૂત સ્‍થાન ધરાવતા આ વિસ્‍તારના કાર્યશીલ યુવાન તરીકેની છાપ ધરાવતા અને આમ આદમી પાર્ટીને સાવરકુંડલા તાલુકામાં સર્જન કરવામાં તેઓનું મહત્‍વનું યોગદાન છે તેવા વિશાલ રાદડીયાને પણ આ સંગઠનની મહત્‍વની જવાબદારી સોંપવામાં આવેલ છે કારણકે શ્રી રાદડિયા સોશિયલ મીડિયામાં જમીની સ્‍તર ઉપર લોકોના પ્રશ્નો ઉપાડવામાં  નિપુણતા ધરાવતા કાર્યશીલ યુવાન છે અને ભૂતકાળમાં અમરેલી જિલ્લા સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ તરીકે ખુબ જ મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી છે ત્‍યારે લેવા પટેલ સમાજ માંથી વિશાલ  રાદડિયા નિમણૂક થતા આગામી દિવસોમાં આગામી દિવસોમાં સાવરકુંડલા લીલીયા ૯૭ વિધાનસભામાં રાજકીય લડાઇ ખુબ જ રસપ્રદ રહેશે જ્‍યારે   સાવરકુંડલા લીલીયા ૯૭ વિધાનસભાના સંગઠન મંત્રી તરીકે વંડા તાલુકા પંચાયતના ચુંટાયેલા આમ આદમી પાર્ટીના એકલવીર સદસ્‍ય અને ભાજપના વાવાઝોડા સામે પણ આમ આદમી પાર્ટીનો ઝંડો ફરકાવનારા તેમજ કોળી સમાજના ખૂબ જ સક્રિય અને કાર્યશીલ એવા મુકેશ ખસિયા ને પણ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવી છે ત્‍યારે આગામી દિવસોમાં આ ત્રિપુટી ભાજપ અને કોંગ્રેસને ભરી પીવા માટે ખુબ જ આક્રમક અને ચીવટપૂર્વક વિધાનસભાનું અભિયાન ઉપાડશે નિતિ પણે સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં શ્રી કુરેશી, શ્રી રાદડિયા, અને ખસિયા ની મહેનતથી સાવરકુંડલા વિધાનસભામાં નિ?તિ પણે પરિવર્તન આવશે. 

(12:56 pm IST)