Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન દરિયા કિનારા ઉપર લોકોને જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માંગણી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧પ :  ચોમાસા દરમિયાન દરિયાના મોજામાં કરન્ટ હોય તેથી દરિયા કાંઠે તથા જોખમી નદીના કાંઠે લોકોને જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવા સામાજિક કાર્યકર દિનેશભાઇ મશરૂએ કલેકટરને રજુઆત કરી છે. કલેકટરને રજુઆતમાં જણાવેલ કે જિલ્લામાં ચોમાસામાં દરિયાકાંઠે ફરવા લાયક સ્થળો તેમજ નદી તળાવના કાંઠા જોખમી બની જાય છે. ત્યારે ચોમાસાા દરમિયાન લોકોને દરિયાકાંઠા ઉપર તથા નદી તળાવના કાંઠે જાહેર સુરક્ષા માટે સ્થળ નિરીક્ષણ કરીને કાંઠા ઉપર પ્રતિબંધ મુકવા માંગણી છે.

જિલ્લાના બરડા ડુંગર વિસ્તારમાં કુદરતી ઝરણા અને તળાવ આદિત્યાણા પાસે બીલેશ્વર સહિત નદી કાંઠે ચોમાસામાં ભારે વરસાદમાં પુર વહી જતા હોય ત્યાં નિર્દોષ લોકોની જીંદગી ઉપર જોખમ હોય લોકોના આવનજાવન ઉપર પ્રતિબંધ મુકવા માંગણી ઉઠી છે.

(1:08 pm IST)