Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

કેશોદના સોંદરડા ઉદ્યોગનગરમાં ખાનગી કારખાનામાં પરપ્રાંતીય શ્રમિકનું ઝેરી દવાની અસરથી મોત

 કેશોદ: કેશોદ નજીક આવેલાં સોદરડા ઉદ્યોગનગરમાં ખાનગી કારખાનામાં કામ કરતાં પરપ્રાંતીય શ્રમિક નું ઝેરી દવાની અસર થતાં જુનાગઢ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કેશોદના સોંદરડા ગામ પાસે આવેલ કુષ્ણવેર હાઉસમા મુળ વતન જી.ઇટા ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય શ્રમિક 

ગોવિંદભાઇ નંદકિશોર યાદવ ઉ.વ ૨૧ અનાજના ગોડાઉનમા અનાજ ઉપર લગાવેલ તાલપત્રી હટાવતા હતા તે વખતે શ્વાસમા ઝેરી દવાની અસર થતા સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતાં ત્યારે સારવાર દરમિયાન મોત નીપજયું હતું. થોડા દિવસો પહેલાં પણ એક ખાનગી કારખાનામાં પરપ્રાંતીય શ્રમિક નું મોત નિપજ્યું હતું. કેશોદ આસપાસના વિસ્તારોમાં ચારસો જેટલા ઘઉં દાણા મગફળીના કારખાનાં ઉપરાંત સંખ્યાબંધ વેર હાઉસ આવેલાં છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલા ધારાધોરણો મુજબ ખરાઈ કે તપાસ કરવામાં આવતી ન હોય ત્યારે નિદોર્ષ શ્રમિકો ને જીવ ગુમાવવો પડે છે. કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે

(1:13 am IST)