Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

દ્વારકા જિલ્લામાં નોન-કોવિડમાં વધુ એકનું મોત

દેવભૂમિ જિલ્લામાં એક પોઝીટીવ સામે પાંચ સાજા થયા

ખંભાળીયા, તા.૧૬ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલે નોન કોવિદમાં વધુ એક મોત નિપજયું છે. જયારે જિલ્લામા એક કેસ નવો કોરોના પોઝીટીવ નોંધાવાની સાથે પાંચ દર્દીઓ સાજા થયા છે.

જડેશ્વર સોસાયટીમાં એક નવો કેસ નીકળતા તેને હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતા. જયારે જિલ્લામાં પાંચ દર્દીઓ સાજા થતાં તેને ડિસ્‍ચાર્જ કરાયા હતા. જેમાં ખંભાળીયાના ત્રણ દર્દી તથા કલ્‍યાણપુર અને ભાણવડના એક એક દર્દી ડિસ્‍ચાર્જ થયા છે. હાલ જિલ્લામાં એકટીવ કેસ ર૪ છે જેમાં સરકારી હોસ્‍પિટલમાં માત્ર ૧૪ છે. બાકીના હોમ આઇસોલેશનમાં છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૬૬ વ્‍યકિતઓબીન કોવિદમાં મૃત્‍યુ પામ્‍યા હતાં જેમાં ગઇકાલે એક મૃત્‍યુ થતાં કુલ બિનકોવિદમાં ૬૭ મૃત્‍યુ નોંધાયા છે જયારે કોવિદમાં ૧ર મૃત્‍યુ થયા હતાં.

(1:06 pm IST)