Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

રામમંદિરના નિર્માણ માટે ભાવનગરમાંથી એકજ દિવસમાં 30 લાખનું યોગદાન એકઠું

મોરારીબાપુએ વીડિયોના માધ્યમથી યોગદાન આપવા અપીલ કરી

ભાવનગર: અયોધ્યા ખાતે બની રહેલા રામમંદિરના નિર્માણમાં ભારતભરનાં લોકો પણ પોતાનું યોગદાન આપી શકે તે માટે સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યોગદાન એકત્રિત કરવાની શરુઆત આજથી ભાવનગર ખાતેથી કરવામાં આવી છે. આજનાં પ્રથમ દિવસે જ ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓ એ યોગદાન કરી અંદાજીત ૩૦ લાખ રૂપિયા જેટલું યોગદાન એકઠું કરવામાં આવ્યું હતું.

ભાવનગરમાં આજથી રામમંદિર નિર્માણ અર્થે એકત્રિત કરવામાં આવનાર યોગદાનની શરૂઆત ગરબીરામદાસબાપુ દ્વારા કરવામાં આવેલ. સૌ પ્રથમ રામ કથાકાર મોરારીબાપુ  દ્વારા ચિત્રકૂટ ટ્રસ્ટ દ્વારા એક લાખ રૂપિયા અનુદાન આપવામાં આવેલ તેમજ મોરારીબાપુએ વીડિયોના માધ્યમથી સામાન્ય પરિવારનાં લોકો પણ પોતાનું યોગદાન આપી મંદિર કાર્યમાં સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવેલ તેમજ મોરારીબાપુનાં વિદેશમાં રહેતા ભક્તો દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત ૧૯ કરોડ રૂપિયાની રકામ એકત્રિત કરવામાં આવેલ છે

(3:07 pm IST)