Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામકંડોરણા તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારો હાર ભાળી ગયા હોવાથી ખોટા આક્ષેપો : ભાજપની રજુઆત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૧૬:જામકંડોરણા તાલૂકા ભાજપના પ્રમુખ ચદૂભા ચોહાણ સહિતના ભાજપના અગ્રણીઓએ જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે.

આ રજૂઆતમાં જણાવ્‍યું છે કે હાલમાં તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારો હાર ભાળી ગયા છે અને બેબાકળા બનીને કોંગ્રેસના આગેવાનો બિન જરૂરી પાયા વિહોણા ખોટા આક્ષેપો કરીને સરકારી કચેરીમાં તથા પોલીસ મથકે ખોટી ફરિયાદો રજૂઆત કરીને ભયનું સામ્રાજય ફેલાવા માગે છે.

કોંગ્રેસના આગેવાનો દ્વારા ખોટા આક્ષેપો કરી ભાજપના સનીષ્ઠ સારા આગેવાનોની પ્રતિષ્‍ઠાને ઠેસ પહોંચાડવા આવી રહી છે તે અંગે રજૂઆત કરાઈ છે.

 

(11:59 am IST)