Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ખંભાળીયાના શકિતનગર ગ્રામ પંચાયતના રામનાથ સોસાયટીના લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચિમકી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૬ :. ખંભાળિયાના શકિતનગર ગ્રામ પંચાયતમાં રામનાથ સોસાયટીના રહીશોએ મતદાનના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

ગટર, સફાઈ જેવા પ્રાથમિક પ્રશ્નોને લઈ સ્થાનિક રહીશોેએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી આપતા દોડધામ મચી ગઈ છે.

વર્ષોથી અહીં અનેક સમસ્યાઓનું નિરાકરણ આવેલ ન હોય સ્થાનિકો રોષે ભરાયા છે.

આશરે ૨૫૦ જેટલા લોકોની સોસાયટીવાળા વિસ્તારમાં ન્યાય આપવા માંગ થઈ છે.

(12:52 pm IST)