Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

જામનગરમાં સાસરીયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

જામનગર, તા.૧૬: પંચ બી પોલીસ સ્ટેશનમાં નર્મદાબેન હેંમતભાઈ મંગવાનીયા એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામે ગોકુલધામ સોસાયટી શેરી નં.૧, મકાન –૧૮માં રહેતા ફરીયાદી નર્મદાબેનની દિકરી કિરણના આરોપીઓ પતિ નવઘણ કારાભાઈ રાઠોડ, સાસુ મંજુબેન કારાભાઈ રાઠોડ, જેઠ– રાજુભાઈ કારાભાઈ રાઠોડ, જેઠાણી– ભાવનાબેન રાજુભાઈ રાઠોડએ એક વર્ષના લગ્ન જીવન દરમ્યાન ઘરકામ બાબતે અવાર–નવાર મેણાટોણાઓ મારી તેમજ તેણીના જેઠ રાજુભાઈના છોકરાઓને સાથે રાખવા બાબતે શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી મરી જવા માટ મજબુર કરી ગુનો કરેલ છે.

પાણીના બદલે ભુલથી સેવલોન પી જતા વૃઘ્ધાનું મોત

અહીં ખોડીયાર કોલોની રાજચેમ્બર પાસે રહેતા ધ્રુવભાઈ જસ્મીનભાઈ કાત્રોડીયા ઉ.વ.રપ, એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે આ કામે વનીતાબેન વસંતલાલ કાત્રોડીયા, ઉ.વ.૮૧, રે. ખોડીયાર કોલોની, રાજચેમ્બર, ૯/૧૩ જામનગરવાળા એ પોતાના ઘરે પાણીના બદલે ડ્રેસીંગ કરવા માટેનું સેવલોન ભુલથી પી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

 

(12:56 pm IST)