Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

પાળીયાદ પાસે ત્રિપલ અકસ્માતઃ બાઈક ચાલક ૬૦ વર્ષના વૃદ્ધનું મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૬ :. પાળીયાદ પાસે આજે બપોરે ત્રિપલ અકસ્માત સર્જાતા એક વ્યકિતનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાળીયાદ નજીક બાઈક ઉપર વાલજીભાઈ કવાભાઈ સરવૈયા (ઉ.વ.૬૦, રહે. ધજાળા) જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર અને ઈકો તથા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં વાલજીભાઈ સરવૈયાનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

(4:09 pm IST)