Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

વાવાઝોડા પૂર્વે સલામતીના ભાગ રૂપે કચ્છના કંડલા પોર્ટનું કામકાજ બંધ : જહાજોને સલામત સ્થળે લાંગરવા જવા સૂચના, કંડલા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૮૦૦ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : વાવાઝોડા પૂર્વે સલામતીના ભાગ રૂપે  કંડલા પોર્ટના ચેરમેને કરી મિટિંગ, પોર્ટનું કામકાજ બંધ, જહાજોને સલામત સ્થળે લાંગરવા જવા સૂચના, કંડલા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ૮૦૦ જેટલા લોકોને કંડલા પોર્ટ દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે.

'તોકતે' વાવાઝોડા સંદર્ભે દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મહેતા દ્વારા સલામતીના ચાંપતા પગલાં લેવાઇ રહ્યા હોવાનું પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું છે.

(4:38 pm IST)