Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “તૌકતે” વાવાઝોડાને ધ્યાને લઇ વધુ 9 108 એમ્બ્યુલન્સ સજ્જ કરાઈ

અરબ સાગરમાં લો પ્રેશર સાયકલોનમાં પરિણામે “તૌકતે” વાવાઝોડુ બનશે . જેની કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં અસર થવાની સંભાવના છે . જેને લીધે તમામ દરિયાકાંઠે આવતા વિસ્તારોમાં ૧૦૮ ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે . ત્યારે વધુ 9 108 એમ્બ્યુલન્સ વાવાઝોડાની અસરને દયાને લઈ હંગામી ધોરણે મૂકવામાં આવી છે. પહેલા 11 108 એમ્બ્યુલન્સ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત હતી હવે 108 એમ્બ્યુલન્સ નો આંકડો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 નો થઈ જશે કે જે સંભવિત અસરગ્રત વિસ્તારો જેવા કે ખાસ કરીને દરિયાઈ  વિસ્તારને આવરી લઈ  ઇમર્જન્સી પરિસ્થિતિમા ઝડપથી પહોંચી સેવા આપવા સજ્જ રહેશે.

(5:38 pm IST)