Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ભાવનગરમાં મ્યુકરમાઇકોસીસનાં વધુ ૨ અને કોરોનાનો માત્ર એક કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૬: ભાવનગર જિલ્લામાં મ્યુકર માઇકોસીસનાં વધુ ૨ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૦૬ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૦૬ કેસ નોંધાયેલા પૈકી ૯૯ કન્ફર્મ કેસ, ૬ સસ્પેકટેડ કેસ અને ૧ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૨૦ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લામા વધુ ૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૮૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરમાં ૧ પુરૂષ મળી કુલ ૧ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧ અને તાલુકાઓમાં ૪ કેસ મળી કુલ ૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૮૧ કેસ પૈકી હાલ ૧૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૩ દર્દીઓનું અવસાન થયેલ છે.

(10:12 am IST)