Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

મોરબી મલાઈ ખાતા કોન્ટ્રાકટર ચેતી જજો, રોડના નબળા કામને અટકવતા નગરપાલિકાના સત્તાધીશો.

નવા કામોમાં ક્યાંય ગેરરીતિ ના થાય તે જોવું પણ જરૂરી સતાધીશો માટે.મોરબી પાલિકાના સત્તાધીશોએ સ્થળ ઉપર જ કોન્ટ્રાકટર અને સુપરવાઇઝરને બોલાવીને ઉઘડો લીધો, ફરીથી ટેન્ડરના નીતિ નિયમ મુજબ રોડનું યોગ્ય કામ કરવા તાકીદ

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઘણા સમયથી રોડના કામ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે નગરપાલિકાના સત્તાધીશોએ કાલિકા પ્લોટ વિસ્તારમાં દોડી ગયા હતા અને રોડના કામનું નિરીક્ષણ કરતા રોડના કામમાં લોટ, પાણીને લાકડા જેવી ગંભીર બેદરકારી દાખવાતી હોવાનું સામે આવ્યું હતું. આથી નગરપાલિકાના સત્તાધીશોએ આ નબળા કામને અટકાવી દીધું હતું.
મોરબીના ક્લીકા પ્લોટ વિસ્તારમાં નવો રોડ બનાવવાની ઘણા સમયથી કામગીરી ચાલી રહી હતી. જેમાં અગાઉ રોડ આખો ખોદી નાખ્યા બાદ કોઈ કામગીરી ન કરતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આથી સ્થાનિકોએ અગાઉ અનેક વખત નગરપાલિકામાં તેમના વિસ્તારમાં અધૂરા રોડના કામના પ્રશ્ને અને રોડનું યોગ્ય રીતે ન થતું હોવાની ફરિયાદ કરી હતી. આથી નગરપાલિકાએ સૂચના આપતા કોન્ટ્રાકટર દ્વારા હમણાંથી ફરીથી આ રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ફરીથી શરૂ કરાયેલા કામમાં પણ ગેરરીતિ થતી હોવાની ફરિયાદને પગલે નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા અને પ્રમુખના પતિ કે.કે.પરમાર ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને રોડના કામનું નિરીક્ષણ કરતા સાવ ઢંગધડા વગરનું થતું હોવાનું સામે આવ્યું હતું. હલકી કક્ષાના મટીરીયલ અને લેવલ વગરના રોડનું કામ ધ્યાને આવતા આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેમજ સ્થળ ઉપર જ કોન્ટ્રાકટર અને સુપરવાઇઝરને બોલાવીને ઉઘડો લીધો હતો અને ફરીથી ટેન્ડરના નીતિ નિયમ મુજબ રોડનું યોગ્ય રૂટ કામ કરવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત, શહેરમાં ક્યાંય પણ રોડના કામ નબળા થતા હોય તો લોકો પાલિકાનું ધ્યાન દોરે તેવી અપીલ કરી છે

(6:54 pm IST)