Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોડિયા અને જામનગર ગ્રામ્‍ય તાલુકાના માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ મંજુર કરાવતા કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

રૂ.૧૧૫ કરોડના ખર્ચે માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા રોડ કોસ્‍ટલ હાઈવે ૩૨.૪૩ કી.મી.નો રોડને મળી સૈદ્ધાંતિક મંજુરી

રાજકોટ, તા.૧૬: કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે  અખબારી યાદીમાં જણાવેલ છે કે મારા મતવિસ્‍તાર જામનગર(ગ્રામ્‍ય) વિધાનસભાના જોડિયા અને જામનગર ગ્રામ્‍ય તાલુકાના જોડિયા અને જામનગર ગ્રામ્‍ય તાલુકાના માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો કોસ્‍ટલ સ્‍ટેટ હાઈવે ૩૨.૪૩ કી.મી.નો રોડ અંદાજીત રૂ.૧૧૫ કરોડના ખર્ચે માર્ગ મકાન વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે. 

 વધુમાં કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવેલ હતું કે મંજુર થયેલ રોડમાં ૬.૧૦ મી માંથી ૧૦.૦૦ મી માળીયા-આમરણ-જોડિયા-જાંબુડા પાટિયા સુધીનો રોડનું વાઈડનીંગ અને સ્‍ટ્રેન્‍ધનીંગની કામગીરી કરવામાં આવશે. આ માટે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સબંધિત કાર્યપાલક ઈજનેરશ્રીને સૂચના આપવામાં આવેલ છે.

અંતમાં કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આ રોડ મંજુર થયેલ રોડ રસ્‍તા માટે માર્ગ મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્‍યક્‍ત કરેલ છે.

આ રોડ મંજુર થતા જામનગર તેમજ જોડિયા તાલુકાના સ્‍થાનિક લોકોમાં હર્ષની લાગણી જોવા મળેલ છે. આ તકે મંત્રી રાઘવજીભાઈએ માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશભાઈ મોદીનો વિધાનસભાના મતદારો વતી આભાર માનેલ છે

(9:45 am IST)