Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ભુજ-પુણે એક્‍સપ્રેસને હળવદ સ્‍ટેશન પર સ્‍ટોપેજ મળ્‍યું

રેલવે રાજ્‍યમંત્રી દર્શના જરદોશનો આભાર વ્‍યક્‍ત કરતા ડો. મહેન્‍દ્ર મુંજપરા અને પરસોત્તમ સાબરીયા

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૬ : રેલ્‍વે મંત્રાલય દ્વારા રાજયમાં ચાલી રહેલી કેટલીક ટ્રેનોને વધારાના સ્‍ટોપેજ આપીને મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્‍યો છે. જેમાં કોરોના બાદ પ્રથમ વખત ટ્રેન નંબર ૧૧૦૯૧/૯૨ ભુજ-પુણે એક્‍સેપ્રેસ (સાપ્તાહિક) હવેથી હળવદ સ્‍ટેશન પર પણ રોકાશે. જેનાથી હળવદથી પુણે તરફ જતાં મુસાફરોને મુસાફરીની સુવિધા મળશે.

હળવદ - ધ્રાંગધ્રા વિસ્‍તારના ધારાસભ્‍ય અને સુરેન્‍દ્રનગર સાંસદ ડો.મુંઝપરાનાં પ્રયાસોથી હળવળને નવી સુવિધા મળી છે. ભુજ-પુણે એક્‍સેપ્રેસ (સાપ્તાહિક) હવેથી હળવદ સ્‍ટેશન પર પણ રોકાશે. આ ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા પ્રથમ વખત કેટલીક ટ્રેનોને નવા સ્‍ટોપેજ આપવામાં આવ્‍યા છે. જેમાં ટ્રેન નંબર ૧૨૭૫૫/૫૬ કાકીનાડા-ભાવનગર એક્‍સપ્રેસ (સાપ્તાહિક) હવેથી ધોળા સ્‍ટેશને ઉભી રહેશે. ટ્રેન નંબર ૨૦૯૫૫/૫૬ સુરત-મહુવા એક્‍સપ્રેસ (સપ્તાહમાં પાંચ દિવસ) લીંબડી સ્‍ટેશન પર રોકાશે. ટ્રેન નંબર ૨૦૮૨૩/૨૩ અજમેર-પુરી એક્‍સપ્રેસ (સપ્તાહમાં બે વખત) હવેથી ઉંઝા રેલવે સ્‍ટેશન પર ઉભી રહેશે. ટ્રેન નંબર ૧૯૫૬૭/૬૮ તૂતીકોરિન ઓરખા એક્‍સપ્રેસ (સાપ્તાહિક હવેથી સુરેન્‍દ્રનગર સ્‍ટેશન પર પણ ઉભી રહેશે. ટ્રેન નંબર ૨૦૯૧૩/૧૪ રાજકોટ-દિલ્‍હી સરાય રોહિલ્લા એક્‍સપ્રેસ (સાપ્તાહિક) હવેથી થાન સ્‍ટેશન પર ઉભી રહેશે. અને ટ્રેન નંબર ૨૦૯૪૭/૪૮ અમદાવાદ-એકતાનગર એક્‍સપ્રેસ (દૈનિક) હવેથી આણંદ સ્‍ટેશન પર રોકાશે.

ભુજ-પૂણે એક્‍સપ્રેસને હળવદ રેલવે સ્‍ટેશને સ્‍ટોપ આપવા બદલ રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશનો ધારાસભ્‍ય પરસોતમ સાબરીયા અને ડો.મહેન્‍દ્રભાઈ મુંજપરાએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(10:50 am IST)