Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જૂનાગઢ મધુરમ શ્‍યામધામમાં સર્વરોગ નિદાન કેમ્‍પ

જૂનાગઢઃ કેશવ કો.ઓપ.સોસાયટી ટીંબાવાડી બ્રાન્‍ચ તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા ત્રિમૂર્તિ હોસ્‍પિટલ ના સહયોગથી મધુરમ શ્‍યામધામ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાયો હતો. જેનો ૪૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્‍પમાં ડો.ડી.પી.ચિખલીયા, ડો.શૈલેષ જાદવ, ડો.અભિત ભુવા, ડો.પ્રતિક ટાંક, ડો. તન્‍વી કાચા, ડો.રમ્‍યતા દયાતર, ડો.જનક પટેલ, ડો. વત્‍સલ ગજેશ, ડો.પૂજા કોયાણી, ડો.કલ્‍પેશ બાખલખીયા દ્વારા ેસેવા અપાઇ હતી. સફળ બનાવવા ત્રિમૂર્તિ હોસ્‍પિટલના નર્સિંગ સ્‍ટાફ તથા આદિત્‍યભાઇ મેહતા મનીષાબેન કોયાણીએ જહેમત ઉઠાવી  હતી. કેમ્‍પના સંયોજક કિરીટભાઇ, કાણકીયા તથા શ્‍યામધામના પ્રમુખ લવજીભાઇ સાપરા હતા.(અહેવાલઃવિનુ જોશી તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(10:57 am IST)