Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દામનગરના શ્રી ભુરખીયા હનુમાનજી મંદિરે નેત્રયજ્ઞ

 દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતેᅠ લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી દ્વારા સુદર્શન નેત્રાલયનો નેત્રયજ્ઞ યોજાયો. લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટી શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્‍ટ એવમ શ્રી ભુરખિયા હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે શ્રી નગરદાસ ધનજીᅠસંઘવી ટ્રસ્‍ટ સંચાલિત સુદર્શન નેત્રાલયના અતિ અદ્યતન સાધનો અને નિષ્‍ણાંત તબીબો સેવારતᅠનેત્રયજ્ઞનું દીપપ્રાગટય કરી મેનેજિંગ ટ્રસ્‍ટી જીવનભાઈ હકાણી સહિત લાયન્‍સ કલબ ઓફ અમરેલી સીટીના મેમ્‍બરોના હસ્‍તે કરાયું હતું. કેમ્‍પમાં આંખને લગતા તમામ દર્દ મોતિયા, ઝામર, વેલ, પરવાળા, ત્રાસી, આંખ કિકી, પડદાની વિનામૂલ્‍યે નિષ્‍ણાંત તબીબો દ્વારા તપાસ કરાય હતી. કેમ્‍પમાં મોતિયાના દર્દીઓને ટાંકા વગરના નેત્રમણી આરોપણ માટે સુદર્શન નેત્રલય અમરેલી લઈ જવાયા હતા. મોતિયાના દર્દીઓને લાવવા લઈ જવા જમવા રહેવા કાળા ચશ્‍મા સુદર્શન નેત્રાલય તરફથી અપાશે તેમ પ્રોજેકટ ચેરમેન લા.જયેશભાઇ પંડયા લા.વિનિદભાઈ આદ્રોજા લા.શરદભાઈᅠ વ્‍યાસ લા સાહસ ઉપાધ્‍યાય લા રમેશભાઈ કાથરોટીયા લા.રિધેશભાઈ નાકરાણીᅠ લાયન્‍સ કબલ ઓફ અમરેલી સીટી અને નિલેશભાઈ ભીલ દ્વારા જણાવ્‍યું હતું.

(1:31 pm IST)