Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

દામનગરના ભાલવાવ ગામમાં પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર નવુ બનાવવા માંગ

દામનગરના ભાલવાવ ગામે ૧૦ જેટલા ગ્રામ્‍ય માટે આશીર્વાદ અમરેલી જિલ્લા પંચાયતનું પીએસી અતિજીર્ણ અવસ્‍થામાં છે. ભાલવાવ, ધામેલ, હજીરાધાર, જાળીયા, ભમરીયા, માંગુકા, સુરનીવાસ જેવા છેવાડાના ગ્રામ્‍ય વિસ્‍તારો વચ્‍ચે આવેલ પ્રાથમિકᅠ આરોગ્‍ય કેન્‍દ્ર અતિ જીર્ણ અવસ્‍થા માં અમરેલી જિલ્લા પંચાયત આરોગ્‍ય સમિતિના ચરમેન સહિત સબંધ કરતા વિભાગોમાં પત્ર પાઠવી સ્‍થાનિક જાગૃત અગ્રણી દિનેશભાઇ જમોડ દ્વારા રજુઆત કરાય છે.  અમરેલી જિલ્લા પંચાયત તરફથી સેવારત પીએસી સેન્‍ટર ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જરૂરી આરોગ્‍ય માર્ગદર્શન પ્રાથમિક સારવાર દવા જેવી સુવિધાઓ શ્રમિક ખેડૂત પરિવારોᅠ છેવાડાના ગ્રામ્‍યમાં ખૂબ ઉપયોગી છે ત્‍યારે આ પીએસી નવું બનાવવા સ્‍થાનિક કક્ષાએથી માંગ કરાય છે.

(2:44 pm IST)