Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબીમાં તા. ૧૮ થી ૨૧ જુન સુધી નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરાયું

લાભાર્થીઓએ પોતાના માટે બેસવાનું આસન અને પીવા માટે પાણીની બોટલ સાથે લઇ આવવાની રહેશે.

મોરબી : “શ્રી માનવ સેવા એ જ પ્રભુ સેવા સંસ્થાન” દ્વારા 10 વર્ષથી ઉપરની ઉંમરના ભાઈઓ તથા બહેનો માટે નિઃશુલ્ક યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે તા. ૧૮ થી ૨૧ જુન સુધી સવારે ૭ થી ૦૮ : ૩૦ કલાકે સરદાર બાગ, શનાળા રોડ મોરબી ખાતે યોગ શિબિર યોજાશે જેમાં પ્રોફેશનલ યોગા ટ્રેનર ચાંદનીબેન રાઠોડ તાલીમ આપશે.
આ શિબિરનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ રજિસ્ટ્રેશન માટે બાળવિકાસ કાર્યક્રમના કોઓર્ડીનેટર આરતીબેન રત્નાણી મો. 94082 88478 પર સમ્પર્ક કરવા જણાવ્યું છે  શિબિરમાં હાજર રહેનાર લાભાર્થીઓએ પોતાના માટે બેસવાનું આસન અને પીવા માટે પાણીની બોટલ સાથે લઇ આવવાની રહેશે.

(10:26 pm IST)