Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સ્‍વાતંત્ર્ય પર્વે પણ જૂનાગઢ શહેરમાં કોરોનાનો વધુ એક કેસ

રજામાં પણ ૬૬૫૨ લોકોએ વેકિસન લીધી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૬ : સ્‍વાતંત્ર્ય પર્વે પણ જૂનાગઢ શહેરમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લામાં ૧૪ ઓગષ્‍ટે કોરોનાએ વિરામ રાખ્‍યો હતો પરંતુ સોમવાર દેશના ૭૬માં સ્‍વાતંત્ર્ય દિને જૂનાગઢમાં કોરોનાએ એન્‍ટ્રી કરી હતી.

જૂનાગઢ સીટીમાં કોરોના પોઝીટીવનો એક નવો કેસ નોંધાતા કન્‍ટેનમેન્‍ટ ઝોનની સંખ્‍યા ત્રણ થઇ છે. તેમજ તેની નીચેના ૪ ઘરના ૧૫ લોકો કન્‍ટેનમેન્‍ટમાં કેદ થયા છે.

દરમ્‍યાન સોમવારે રજાનાં દિવસે પણ જૂનાગઢ કોર્પોરેશન વિસ્‍તારમાં ૨૮૫૮ અને ગ્રામ્‍ગમાં ૩૮૯૪ મળી કુલ ૬૬૫૨ લોકોએ વેકિસન લીધી હતી.

(11:35 am IST)