Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

તલાટીના હડતાળના સમર્થનમાં જામજોધપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર

જામજોધપુર : આમ આદમી પાર્ટી દ્વારા  જિલ્લા ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજાની આગેવાનીમાં તલાટી મંત્રીઓની હડતાલ અને  હડતાલથી નાના ગામડાઓના માણસો પર તેના સરકારી કામકાજોને લઈને પડતી મુશ્‍કેલીઓને ધ્‍યાનમાં રાખી વહેલી તકે તલાટીના પ્રશ્‍નોના નિરાકરણ લાવવામાં આવે તેવા હેતુથી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું. જેમાં ડોક્‍ટર સેલના જોઇન્‍ટ સેક્રેટરી ડો.જેમીખાંટ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રતિપાલસિંહ જાડેજા, જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા,  આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ રાકેશભાઈ પરમાર, ૮૦ વિધાનસભા આપના સંગઠન મંત્રી દિનેશભાઈ લાલકિયા, સહસંગઠન મંત્રી પ્રકાશભાઈ વ્‍યાસ, સંગઠન મંત્રી કાળુભાઈ પંડ્‍યા, આરટીઆઈ એક્‍ટિવીસ્‍ટ વગેરે ઉપસ્‍થીત રહેલ.

(11:43 am IST)