Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

મોરબીથી કેશોદ દવા લેવા જતી વખતે બે વર્ષના પ્રિયાંશુએ રસ્‍તામાં દમ તોડયો

રાજકોટ તા. ૧૬: મોરબીથી કેશોદ દવા લેવા જતી વખતે બે વર્ષના બાળકનું મોરબી-રાજકોટ વચ્‍ચે બસમાં જ બેભાન થઇ જતાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ મોરબીમાં જેતપર રોડ પર ત્રિલોકધામ સોસાયટી બી-૧૨મા રહેતાં સંજયભાઇ ગરેજા (કોળી)ના પુત્ર પ્રિયાંશુ (ઉ.૨)ની થેલેસેમિયાની દવા કેશોદ ખાતે ચાલુ હોઇ પંદરમીએ સવારે બસ મારફત કેશોદ દવા લેવા જતી વખતે રાજકોટ નજીક પહોંચતા પ્રિયાંશુ બસમાં જ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

મૃતક બે ભાઇથી નાનો હતો. પિતા સિરામીકમાં મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:50 am IST)