Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્‍વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો

પ્રભાસ પાટણ : પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, બિલ્‍વપત્ર સહિત પુષ્‍પહાર થી શણગારવામાં આવી હતી. મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને જય સોમનાથ ના નાદ સાથે પરીસરમાં ફરી હતી. આ પ્રસંગે પાલખી પૂજન મંદિર સુરક્ષા અધિકારી એમ એમ પરમાર તથા ટેમ્‍પલ ઓફિસર શ્રી નિમેશ ભાઇ શાહ દ્વારા કરવામાં આવેલું હતું.    સોમનાથ મહાદેવ નાં દર્શન કરવા વહેલી સવારે ચાર કલાકે મંદિર ખૂલતાં દર્શન કરવા લોકો ની કતારો લાગી હતી અને આખો દિવસ લોકો નો ઝરમર વરસાદ ચાલુ હોવો છતાં ધસારો જોવા મળ્‍યો હતો (તસ્‍વીર-અહેવાલ : દિપક કક્કડ (વેરાવળ),  દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ.

 

(12:00 pm IST)