Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જેતપુરમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સ્‍વામી નારાયણ ગાદી સ્‍થાન દ્વારા અડધો કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા

જેતપુરઃ શહેરમાં સ્‍વામી નારાયણ ગાદી સ્‍થાન મંદિર દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત આજે ભવ્‍ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી યાત્રા ની શરૂઆત નગરપાલિકાના મેદાન ખાતે થી થયેલ. યાત્રા ની શરૂઆત ધારા સભ્‍ય જયેશભાઈ રાદડીયા,પ. પૂ. નીલકંઠ ચરણ દાસજી સ્‍વામી, વિવેક્‍સાગર સ્‍વામી મનસુખભાઈ ખાચરિયા, જેન્‍તીભાઇ રામોલિયા, જયસુખભાઇ ગુજરાતી, રાજુભાઈ ઉસદડિયા, બળવંતભાઈ ધામી, હરેશભાઈ ગઢીયાએ કરાવેલ. યાત્રા ડી. જે. માં વંદેમાતરમ્‌, ભારત માતાકી જયના નારા સાથે શહેરના મુખ્‍ય માર્ગ ઉપર ફરી હતી ૨૦૦૦ ફલેગ સાથે મહિલા અને પુરુષો નીકળેલ હતા. ઠેર ઠેર યાત્રા નું પુષ્‍પવર્ષા થી સનમાન કરાયું હતું. નાની બાળા ભારત માતા તેમજ પોલીસના વેશ માં આકર્ષણનું કેન્‍દ્ર બની હતા મંદિરને ત્રિરંગા થી શણગારવામાં આવેલદ યાત્રા મંદિરે દેશ ભક્‍તિ સભામાં ફેરવાઈ હતી. (તસ્‍વીર-અહેવાલ : કેતન ઓઝા -જેતપુર) 

(1:35 pm IST)