Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જુનાગઢ સ્વામીનારાયણ મંદિર દ્વારા ધ્વજવંદન

જુનાગઢ : બીએપીએસ  સ્વામીનારાયણ વિદ્યા મંદિર - જુનાગઢ દ્વારા સ્વાતંત્ર્ય દિન નિમિતે ધ્વજવંદન તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જુનાગઢ શહેરના નજરાણા સમાન અક્ષર મંદિરના વિશાળ પરિસરમાં ધ્વજવંદન કરીને વિદ્યાર્થીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી. ત્યાર પછી મંદિરના વિશાળ ગુણાતીત સભામંડપમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતના ક્રાંતિકારીઓને ભવ્ય અંજલી અર્પતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા ભારત અસ્મિતા ગીત, ક્રાંતિકારીઓના નારા, નૃત્યો, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત માઇમ્સ, પિરામીડ તેમજ રસપ્રદ પ્રવચનો દ્વારા અદભુત રજુઆતો કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે અક્ષર મંદિરના કોઠારીશ્રી પુજય ધર્મવિનય સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધનનો લાભ આપ્યો હતો. આ રીતે બીએપીએસ સ્વામીનારાયણ વિદ્યામંદિર જુનાગઢના નાના નાના ભુલકાઓ દ્વારા થયેલી રસપ્રદ રજુઆતો દ્વારા ભારતીય અસ્મિતાનો સંદેશો દ્રઢ કરી સૌ વિદાય થયા

(1:44 pm IST)