Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

વાંકાનેરમા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિરંગાનો મહાદેવજીને શણગાર

 વાંકાનેરઃ જડેશ્વર રોડ ઉપર આવેલ વર્ષો પુરાણી એતાસિક પુ શ્રી મુનિબાવાની જગ્‍યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે મંદિરના સંચાલકશ્રી વિશાલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૧૫ મી ઓગસ્‍ટના રોજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના શિખર ઉપર રંગ બેરગી રાર્ષ્‍ટ્ર રંગની સિરીઝો લગાવવામા આવેલ હતી સાથે રાષ્‍ટ્રધ્‍વજ ફરકાવેલ હતો તૅમજ નિજ મંદિરમા શ્રી ફળેશ્વર મહાદેવજીને રાર્ષ્‍ટ્રરંગના ફૂલોના શણગાર દર્શન રાખેલ હતા શ્રાવણમાસ દરમ્‍યાન દરરોજ દાદાને વિધ વિધ જાતના ફૂલોનાં શણગાર દર્શન ભાવિકો દ્વારા થઈ રહયા છે તેમજ ભાવિકો દ્વારા તિથિના ભૂદેવોના ભંડારા થઈ રહયા છે.

(1:51 pm IST)