Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

જામનગરમાં સાંસદ દ્વારા વીર વંદના કાર્યક્રમ યોજાયોઃ જામનગર

સંસદ પૂનમબેન માડમ દ્વારા ૧૫ ઓગસ્ટના પર્વે સાંસદ વીર વંદના કાર્યક્રમ નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. પદમ બેંકવેટ હોલ ખાતે દેશભકિતના રંગે રંગાયેલ અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મેયર બીનાબેન કોઠારી, પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય આરસી ફળદુ, હકુભા જાડેજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા સહિતના અગ્રણીઓ પણ આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. ખાસ સેનામાં ફરજ બજાવી ચૂકેલા માજી સૈનિકો અને વીર શહીદ જવાનોના પરિવારજનોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. જામનગરની ધાર્મિક સંસ્થાના ધર્મગુરુઓ દેવીપ્રસાદજી મહારાજ, વલ્લભરાયજી મહોદય, ચત્રભુજ સ્વામી સહિતના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(2:07 pm IST)