Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળછાયું વાતાવરણ યથાવત : ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ , માળીયાહાટીના એક

કચ્છના રાપર , ભાવનગર જિલ્લાના ગારીયાધાર , જેસર તથા જુનાગઢના મેંદરડામાં પોણો ઇંચ વરસાદ

રાજકોટ તા.૧૬ :રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ યથાવત છે અમુક જગ્યાએ વાદળ છાયા વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે આજે બપોરના બે થી ચાર વાગ્યા દરમિયાન ભાવનગર જિલ્લાના મહુવામાં દોઢ , માળીયાહાટીના એક  ઈચ વરસાદ વરસ્યો છે જ્યારે કચ્છના રાપર , ભાવનગર જિલ્લાના ગારીયાધાર , જેસર તથા જુનાગઢના મેંદરડામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.

     આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના વિસાવદર જુનાગઢ શહેર તથા ભેસાણ તેમજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલાલા અને સુત્રાપાડા તથા મોરબી શહેર અને વાંકાનેર તેમજ પોરબંદર તથા સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તેમજ ભાવનગર જિલ્લાના તળાજા પાલીતાણા, કચ્છના અંજાર ગાંધીધામ ભચાઉ ભુજ મુન્દ્રા અને લખપતમાં હળવા ભારે ઝાપટા પડ્યા છે. ભુજમાં લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યા આસપાસ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે.

(5:33 pm IST)