Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

ગીર સોમનાથ સી.એન.જી ગેસ વપરાસ કારો માટે રાહત ના સમાચાર.

આઇ.આર.એમ એનર્જી લી.દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ સ્ટેશનો પર પ્રતિ.કી. ગ્રાં રૂ.૪ નો ભાવ ઘટાડો કરાયો.

કોડીનાર: છેલ્લા ઘણા સમયથી સી.એન.જી ગેસ માં સતત ભાવ વધારો થવા થી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે આજે સ્વાતંત્ર્ય દિન થી આઇ.આર.એમ.એનર્જી લી.દ્વારા ગીર સોમનાથ અને દીવ ખાતે ચલતા તેમના તમામ ફિલિંગ સ્ટેશનો પર પ્રતિ કી.ગ્રા રૂ.૪/- નો ઘટાડો કરતાં લોકો ને રાહત મળી છે.હાલ રૂ

૯૧.૯૫/- પ્રતિ કી. ગ્રા છે તેમાં રૂ ૪ નો ઘટાડો કરતાં હવે થી રૂ.૮૭.૯૫ /- પ્રતિ કિ. ગ્રા થી ગ્રાહકો ને મળશે જેથી સર્વે લોકો એ આઇ.આર.એમ એનર્જી ના પગલાં ને આવકાર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે હાલ પવિત્ર શ્રાવણ માસ શરૂ હોય સાતમ આઠમ નો તહેવાર આવતો હોય ત્યારે સમગ્ર દેશ માં થી લોકો સોમનાથ મહાદેવ ના દર્શને આવે  છે તેમજ સાસણ ગીર,દીવ અને તુલશીશ્યામ આવતા પર્યટકો ને પણ આ સી.એન.જી ગેસ ના ભાવ ઘટાડા થી રાહત થશે

(8:01 pm IST)