Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

માળિયા (મી.) રેફરલ હોસ્પિટલમાં ડોક્ટરની કાયમી નિમણુક કરવા મુખ્યમંત્રીને પત્ર

માળિયામાં આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટરની કાયમી નિમણુક કરાય તેવી માંગ સાથે રાજ્યના નવનિયુકત મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે માળિયા (મી.) ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ માં કોઈ કાયમી ડોક્ટર નથી. ડોક્ટરના હોવાના કારણે ઘણા દર્દીઓને મોરબી અથવા રાજકોટ જવું પડે છે. ખાસ કરીને પ્રસ્ત્રુતું પ્રસુતિ ના કેશો પણ મોરબી રવાના કરવામાં આવે છે

આવા માં જો કોઈ પ્રસુતાને તકલીફ હોય અને જો તાત્કાલિક સારવાર ની જરૂર હોય અને મોરબી જવું પડે અને ના કરે નારાયણ ને રસ્તામાં કોઈ તકલીફ થાય તે નવજાત શિશુ તેમજ પ્રસુતાના જીવને જોખમ થાય અને તેના જાન પણ જવાની શક્યતાઓ રહેલી છે. જેથી કાયમી ડોક્ટરની નિમણુક કરવા યોગ્ય કરવા માંગ કરી છે.

(12:26 am IST)