Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કુંવરજીભાઈને પડતા મુકાતા વિંછીયા સજ્જડ બંધ

સરપંચની અપીલને ગ્રામજનોએ આવકારીઃ તમામ ધંધાર્થીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્‍યા

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૬ :. રાજ્‍યના મંત્રીમંડળમાં પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને સ્‍થાન ન મળતા આજે તેમનું પોતીકુ વતન વિંછીયા સજ્જડ બંધ રહ્યુ છે.
વિંછીયાના સરપંચ લીલાબેન ચતુરભાઈ રાજપરાએ વિંછીયાના નોટીસ બોર્ડ ઉપર આજે વિંછીયા બંધ રાખવાની અપીલ કરી હતી. જેને તમામ ધંધાર્થીઓએ આવકારી છે અને સવારથી વિંછીયા ગામ સજ્જડ બંધ રહ્યુ છે.
સરપંચે નોટીસ બોર્ડમાં જણાવ્‍યુ છે કે કુંવરજીભાઈ બાવળીયાને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં નહિ આવે તો તેના સમર્થનમાં વિંછીયા ગામના તમામ ધંધાર્થીઓ તેમજ તમામ સમાજને કુંવરજીભાઈને સમર્થન આપવા માટે અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ લોકોએ સરપંચની આ અપીલને માન્‍ય રાખી છે અને વેપાર-ધંધા બંધ રાખ્‍યા છે.

 

(11:21 am IST)