Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

બોટાદમાં બ્રહ્મસમાજનું અધિવેશન મળશે

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની કારોબારી બેઠક મળી : બ્રહ્મસમાજના સંગઠનનો વ્યાપ વધારવા મારો સહકારઃ અંશભાઇ ભારદ્વાજ

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, મહામંત્રી સંજય જોષી, પ્રવકતા જયંતભાઇ ઠાકર અને મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષીની એક સંયુકત યાદીમાં જણાવાયુ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સૌરાષ્ટ્રભરના જીલ્લા અને મહાનગરોમાં બ્રહ્મસમાજનું સંગઠન વધુ સુદ્રઢ બને તે માટે માટે સમયાંતરે પ્રવાસ, કાર્યક્રમો અને કારોબારીની બેઠકોનું આયોજન કરવામાં આવતુ હોય છે તે અંતર્ગત બ્રહ્મસમાજની વાડી, મસ્તરામ મંદિરની બાજુમાં બોટાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ ટ્રસ્ટીની મીટીંગ યોજાઇ હતી.

જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની વરીષ્ઠ બોડીના અપેક્ષીત શ્રેણીના આગેવાનો દ્વારા વિવિધ એજન્ડાઓ ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ સૌરાષ્ટ્ર - કચ્છમાં વિવિધ જીલ્લાના પ્રમુખોને અભિનંદન પાઠવતો ઠરાવ તેમજ આગામી સમયમાં બોટાદ જીલ્લા ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું અધિવેશન થાય તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવેલ અને કોરોના દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બીરદાવવામાં આવેલ હતી.

આ કારોબારી બેઠકની વ્યવસ્થા ચેતનભાઇ માઢક, નીરજભાઇ દવેએ સંભાળી હતી. આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજના પ્રમુખ છેલભાઇ જોષી, સંજય જોષી, અલ્કેશભાઇ ભટ્ટ, ધર્મેન્દ્રભાઇ રાવલ, દિલીપભાઇ દવે, અંશભાઇ ભારદ્વાજ, ડી.જી. મહેતા, દેવેનભાઇ ઓઝા, મનુભાઇ પંડયા, ભુપતભાઇ પંડયા, દિલીપભાઇ દવે, ડી.જી.દવે અને રાજકોટ ખાતેથી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ જીલ્લા પ્રમુખ પંકજભાઇ રાવલ,  સૌરાષ્ટ્ર-કચ્છ  સમસ્ત બ્રહ્મસમાજ મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોષી, ગૌતમભાઇ દવે, તનસુખભાઇ ઠાકર, ઉદયભાઇ સહિતના ઉપસ્થિત રહયા હતા. આ તકે અંશભાઇ ભારદ્વાજે બ્રહ્મસમાજના સંગઠનનો વ્યાપ વધુને વધુ વિસ્તરે તે માટે સંપૂર્ણ સાથ-સહકાર આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમ એક યાદીમાં જણાવાયું છેે. 

(12:00 pm IST)