Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

જવાહરભાઇ ચાવડા અને વાસણભાઇ આહિરને મંત્રીપદેથી હટાવાય તો વિરોધની ચિમકી

કાલે આહિર સમાજની મિટીંગઃ સોશ્યલ મિડીયામાં મેસેજ વાયરલ

રાજકોટ તા. ૧૬: રાજયના નવા મંત્રી મંડળમાં જવાહર ચાવડા અને વાસણભાઇ આહિરને મંત્રી પદેથી હટાવવામાં આવશે તો વિરોધની ચીમકી ઉચ્ચારાઇ છે.

આહીર સમાજના ગ્રુપ જવાહર ચાવડા મામલે વિરોધના સુર ઉઠયા છે.

આહીર સમાજના આગેવાનો આવતીકાલે બેઠક બોલાવે તેવી શકયતા છે. જવાહર ચાવડા મામલે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. જો મંત્રી મંડળમાં સ્થાન નહીં તો ઓલ ગુજરાત આહીર સમાજ વિરોધ પ્રદર્શન કરશે.

(12:04 pm IST)