Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કચ્છમાંથી ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યને વિધાનસભાના અધ્યક્ષ બનાવાય તેવી શકયતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૬ : રાજ્યના મુખ્યમંત્રી બદલાયા અને મંત્રી મંડળમાં પણ ફેરબદલ થઈ તે વચ્ચે કચ્છનું પ્રતિનિધિત્વ જળવાઈ તેવી શકયતા છે.

ગત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી રહેલા વાસણભાઇ આહીરને પડતાં મુકાયા છે ત્યારે કચ્છના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ બનાવાય તેવી શકયતા છે.

 ભુજના ધારાસભ્ય અને વ્યવસાયે તબીબ એવા ડો. નીમાબેન આચાર્ય પીઢ અને અનુભવી રાજકીય આગેવાન છે.

(3:59 pm IST)