Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

વાંકાનેર આંગણવાડી કર્મચારીઓના પ્રશ્ને આવેદન

 વાંકાનેર :  તાલુકાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પડતર પ્રશ્નો અંગે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજયના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા લાંબા સમયથી વિવિધ પ્રશ્નો અંગે માંગ કરવામાં આવી રહી છે છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવતા વાંકાનેર તાલુકાના આંગણવાડી સંગઠન દ્વારા વધુ એક આવેદન પત્ર અપાયું હતું, જેમાં કરવામાં આવેલ માંગો મુજબ રાજયભરમાં એકઙ્ગલાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો લાંબા સમયથી રાજય સરકાર સમક્ષ વિવિધ પ્રશ્ને માંગ કરી રહ્યા છે જેમાં મન કી બાતમાં કોરોના રસીકરણનાં ૧૦૦ કરોડ ટાર્ગેટ પૂરો થયાની વડાપ્રધાને પ્રશંસા કરી હતી પરંતુ આંગણવાડી બહેનોને કોરોના કામગીરીનું કોઈ જ વળતર ચૂકવવામાં આવ્યું નથી, આ ઉપરાંત નિવૃત્ત્િ। વય મર્યાદા સબબ તથા કોરોના મહામારીમાં અવસાન પામેલ બહેનોને વળતર ચૂકવવા સહિત અનેક મુદ્દે વિવિધ માંગો સાથેનું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.તે તસ્વીર.(તસ્વીર - અહેવાલ : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:32 am IST)